અભ્યાસ કરતા બાળકના માતા-પિતાનું મૃત્યુ થાય તો તે બાળક પોતાના બીજા સગા-સબંધી સાથે રહી ઉછરે છે. આવા બાળકને તકલીફ ના પડે તે હેતુસર સરકારશ્રી દ્વારા પાલક માતા-પિતા યોજના શરુ કરી છે. જેમાં બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી દર મહીને રૂપિયા ૩૦૦૦/- સહાય મળે છે.
આપણા ગામના ૩ કુટુંબના કુલ ૮ બાળકોને શાળા તરફથી આ સહાય માટે ગોઠવણ કરી આપવામાં આવી છે.